નાસિકમાં માર્ગ અકસ્માતમાં કચ્છી પટેલ સમાજના 6ના મોત
મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના સપ્તશ્રૃંગી ટેકરીઓ પરના મંદિર પાસે રવિવાર, 8 ડિસેમ્બરે થયેલા માર્ગ અકસ્માતમાં કચ્છી પટેલ સમાજના
છ લોકોના મોત થયાં હતાં. શ્રદ્ધાળુઓ સપ્તશ્રૃંગી મંદિર જઈ રહ્યાં હતાં ત્યારે તેમની ઇનોવા કાર નંદુરી ગઢ વિસ્તારમાં લગભગ 600 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી.